Please wait...
શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભાવેશ્વર મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી, ભાવસિંહજી હોસ્પિટલ તથા લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન પોરબંદર, તા. 17-08-2026, સોમવાર: શ્રાવણ માસના પ્રથમ સોમવારના પાવન દિવસે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી, ભાવસિંહજી હોસ્પિટલ તેમજ લાયન્સ ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ભાવેશ્વર મંદિરના પટાંગણમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય અભિયાનમાં કુલ 25 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્ત માનવજીવન માટે અત્યંત અમૂલ્ય છે. અકસ્માતમાં ઘાયલ દર્દીઓ, ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ, સર્જરી કરાવતા દર્દીઓ તથા પ્રસૂતિ દરમિયાન માતાઓને ઘણી વખત તાત્કાલિક રક્તની જરૂરિયાત ઊભી થાય છે. આવા સમયે દર્દીના સ્વજનો રક્ત મેળવવા માટે જે મુશ્કેલીઓનો સામનો કરે છે, તેમાંથી રક્તની ઉપલબ્ધતાનું સાચું મહત્વ સમજાય છે. રક્તદાન એટલે જીવનદાન. ઈશ્વરનું મહામૂલું સર્જન એવા રક્તનું દાન કરીને આપણે કોઈ અજાણ્યા વ્યક્તિના જીવનને બચાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ. નિયમિત અને સ્વૈચ્છિક રક્તદાનથી હોસ્પિટલોમાં રક્તનો જરૂરી જથ્થો ઉપલબ્ધ રહે છે અને કટોકટીના સમયે દર્દીને સમયસર સારવાર મળી શકે છે. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અશ્વિન ઠાકર, સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ લાયન કિશન મલકાણ, લાયન નિધિ શાહ મોઢવાડિયા, લાયન દુર્ગાબેન લાદીવાલા, લાયન સંજય ડોડીયા, તેમજ ડો. મિથિલ ડામોર સાહેબ, મિત રાઠોડ, હાર્દિક ગાંગડીયા, ક્રિષ્નાબેન તેરૈયા, તૃપ્તિ દત્તાણી સહિત અન્ય કર્મચારી મિત્રોએ સહકાર આપી સેવાકીય પ્રવૃત્તિને સફળ બનાવી હતી. આ પ્રસંગે રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સમાજના વધુમાં વધુ સ્વસ્થ નાગરિકોને સ્વૈચ્છિક રક્તદાન માટે આગળ આવવા અપીલ કરવામાં આવી હતી. “તમારું થોડુંક રક્ત કોઈના જીવનમાં નવી આશા બની શકે છે — રક્તદાન કરો, જીવનદાન આપો.”
| Benefited People | 75 |
| Raised Of Amount | 5000 |
| Donated Of Amount | 5000 |
Please wait...